ગુજરાત સરકારે પોલીસ વિભાગની બદલીને લઇને ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ જગ્યા પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવશે, પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મીટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.હવે 5 વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર PSI અને PIને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહિ. જે બિન હથિયારી PSI અને PIએ એક જ ઝોનમાં 5 વર્ષ સળંગ અથવા તૂટક તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- સૌરવ ગાંગુલીને ઘી-કેળા! માત્ર એક રૂપિયામાં 350 એકર જમીન, કોલકાતા હાઇકોર્ટમાં આ મામલે PIL