Menstrual Leave Supreme Court: મહિલા વિદ્યાર્થીઓ અને નોકરિયાત મહિલાઓ માટે દેશવ્યાપી માસિક ધર્મની રજા (Menstrual Leave Policy) લાગુ કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું છે કે જો કાયદા દ્વારા આવી રજાઓ ફરજિયાત બનાવવામાં આવશે, તો વાસ્તવિકતામાં નોકરીદાતાઓ (Employers) મહિલાઓને નોકરી પર રાખવાનું જ ટાળવા લાગશે, જેનાથી સરવાળે મહિલાઓને જ મોટું નુકસાન થશે.
STORY | SC refuses to entertain PIL seeking menstrual leave policy across country
The Supreme Court on Friday refused to entertain a PIL seeking a nationwide policy providing menstrual leave for women students and workers, observing no one would give them jobs in such a scenario… pic.twitter.com/p4W2tFQhD6
— Press Trust of India (@PTI_News) March 13, 2026
Menstrual Leave Supreme Court: સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
નોંધનીય છે કે ચીફ જસ્ટિસ સૂર્યકાંત (Chief Justice Surya Kant) અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી (Justice Joymalya Bagchi) ની બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની અરજીઓ સમાજમાં ડર પેદા કરવા અને મહિલાઓને નબળી અથવા હીન સાબિત કરવા સમાન છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે આવી રજાઓ અનजानेમાં એ રૂઢિવાદી વિચારસરણીને મજબૂત કરી શકે છે જેમાં માસિક ધર્મને એક ‘ખરાબ વસ્તુ’ માનવામાં આવે છે. સવેતન રજા (Paid Leave) આપવાના દબાણ હેઠળ નોકરીદાતાઓ મહિલાઓથી અંતર જાળવી શકે છે.
મહિલાઓના કરિયર પર અસર
સુપ્રીમ કોર્ટમાં શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી (Shailendra Mani Tripathi) દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદાર વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ એમ.આર. શમશાદે (M.R. Shamshad) કેરળ (Kerala) સરકાર અને કેટલીક ખાનગી કંપનીઓનું ઉદાહરણ આપ્યું હતું જેઓ સ્વૈચ્છિક રીતે આવી રજાઓ આપે છે. આ દલીલના જવાબમાં CJI એ સ્પષ્ટ કર્યું કે, સ્વૈચ્છિક રજાઓ આપવી તે આવકારદાયક છે, પરંતુ જ્યારથી તે કાયદા હેઠળ ફરજિયાત બનશે, ત્યારથી ન્યાયતંત્ર (Judiciary) હોય કે સરકારી નોકરીઓ (Government Jobs), કોઈ પણ મહિલાઓને નોકરી પર નહીં રાખે અને તેમનું કરિયર ખતમ થઈ જશે.
સરકાર અને નીતિ નિર્માતાઓ પર છોડ્યો નિર્ણય
જોકે, કોર્ટે અરજી ફગાવી દેતા એવું ચોક્કસ સૂચન કર્યું હતું કે સંબંધિત વિભાગો અને સત્તાવાળાઓ આ મુદ્દે વિચારણા કરી શકે છે. સરકાર તમામ હિતધારકો (Stakeholders) સાથે ચર્ચા-વિમર્શ કર્યા બાદ ભવિષ્યમાં કોઈ યોગ્ય નીતિ (Policy) ઘડવાની શક્યતાઓ પર તપાસ કરી શકે છે.
આ પણ વાંચો: તેલ-ગેસનું સંકટ ખતમ? Strait of Hormuz માંથી પસાર થશે ભારતના 20 ટેન્કર્સ, ઈરાન સાથે વાતચીત ચાલુ

