Shoaib Akhtar Brother Funeral : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના મોટા ભાઈ શાહિદ અખ્તરનું તાજેતરમાં નિધન થયું છે. રાજધાની ઇસ્લામાબાદમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જોકે, આ દુઃખદ ઘટના ત્યારે મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ, જ્યારે શાહિદ અખ્તરના જનાજામાં ‘લશ્કર-એ-તૈયબા’ સાથે જોડાયેલા આતંકવાદીઓ ખુલ્લેઆમ સામેલ થયા. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને કેટલી સુરક્ષિત પનાહ મળે છે.
Shoaib Akhtar Brother Funeral :જનાજાનો વીડિયો વાયરલ, લશ્કરના ટોચના આતંકીઓ હતા હાજર
પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૪ જૂનના રોજ શાહિદ અખ્તરનું નિધન થયું હતું અને તેમને ઇસ્લામાબાદના H-8 કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ અંતિમ સંસ્કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લશ્કરના આતંકીઓ જનાજાની નમાઝ પઢતા જોવા મળી રહ્યા છે. શોએબ અખ્તર પણ તેમની સાથે જ ઉભેલા જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વીડિયો લશ્કર અથવા પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.
🚨 Shoaib Akhtar’s Brother’s Funeral. Why Were LeT Linked Leaders There?
Shahid Akhtar’s funeral was attended by PMML Islamabad President Inam ur Rehman Kamboh and other LeT leaders.
A simple question. Why were senior LeT linked figures present at Shoaib Akhtar’s brother’s… pic.twitter.com/wnhZpFz3Fn
— TheGlobalDecoder (@TGD_06) June 26, 2026
જનાજામાં સામેલ મુખ્ય આતંકવાદીઓ અને નેતાઓ:
-
૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો દીકરો તલ્હા સઈદ.
-
લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસૂરી.
-
પીએમએમએલ (PMML) નો ઇસ્લામાબાદ પ્રમુખ ઇનામ-ઉર-રહેમાન કંબોહ.
-
સંગઠનના અન્ય સભ્યો: અબ્દુલ્લા તૂર, હાફિઝ ઉમર અને અમજદ ભટ્ટી.
પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ કસૂરી પણ હતો હાજર
આ જનાજામાં લશ્કરનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસૂરી પણ ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો હતો. કસૂરી એ જ આતંકી છે જેને ૨૦૨૫માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. આ કાયરતાપૂર્ણ હુમલામાં ૨૫ પ્રવાસીઓના જીવ ગયા હતા.
ભારતનો જડબાતોડ જવાબ અને બૌખલાયેલો કસૂરી
પહેલગામ હુમલા બાદ ભારતે આકરૂં વલણ અપનાવીને જળ સંધિને નિલંબિત કરી દીધી હતી. એટલું જ નહીં, ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનના મુરીદકેમાં લશ્કરના મુખ્યાલય સહિત અનેક આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા.
ભારતની આ કડક કાર્યવાહીથી લશ્કર અને અન્ય આતંકી સંગઠનો હચમચી ગયા હતા. ત્યારથી જ કસૂરી ભારત વિરુદ્ધ સતત ભડકાઉ નિવેદનો આપી રહ્યો છે. તાજેતરમાં ફેબ્રુઆરીમાં સામે આવેલા એક વીડિયોમાં તેણે સમુદ્રી માર્ગે ભારત પર ૨૬/૧૧ જેવા વધુ એક હુમલાની ખુલ્લી ધમકી આપી હતી.
પાકિસ્તાનમાં આતંકીઓને રાજકીય આશ્રય
આ ઘટના પાકિસ્તાનની પોલ ખોલી રહી છે. પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવા પર કાર્યવાહીથી બચવા માટે જ હાફિઝ સઈદે PMML નામની રાજકીય પાર્ટી બનાવી હતી, જેણે ૨૦૨૪ની પાકિસ્તાન ચૂંટણી પણ લડી હતી. હાફિઝ સઈદનો દીકરો તલ્હા આ પહેલા પણ એપ્રિલ મહિનામાં વડાપ્રધાન શાહબાઝ શરીફના વિશેષ સહાયક રાણા સનાઉલ્લાહ સાથે મંચ શેર કરતો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદીઓનું પાકિસ્તાનમાં આ રીતે ખુલ્લેઆમ ફરવું અને હાઈ-પ્રોફાઇલ કાર્યક્રમોમાં સામેલ થવું એ સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનમાં ભારત વિરોધી તત્વોને સંપૂર્ણ સરકારી અને વ્યવસ્થાતંત્રનું રક્ષણ મળેલું છે.
આ પણ વાંચો: પાસપોર્ટ કે આધાર નહીં, તો ભારતની નાગરિકતાનો અસલી પુરાવો કયો? જાણો

